28.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home રાજનીતિ ગોપાલ ઈટાલિયાની ટિપ્પણી પર કેન્દ્રીય મંત્રીએ દિવાલિયા માનસિકતાને નિંદા ગણાવી, બીજુ કંઇક...

ગોપાલ ઈટાલિયાની ટિપ્પણી પર કેન્દ્રીય મંત્રીએ દિવાલિયા માનસિકતાને નિંદા ગણાવી, બીજુ કંઇક આમ કહ્યું, સાંભળો

0
152

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઇ નથી તે પહેલા ચૂંટણી પ્રચાર વેગવંતો બન્યો છે અને આક્ષેપ-પ્રતિ આક્ષેપોનો દોર પણ શરૂ થઇ ગયો છે. હાલ આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે જ શાબ્દિક યુદ્ધ ચરમસીમાએ પહોંચી ગયું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાનો એક વીડિયો વાઈરલ થયો હતો, જેમાં પીએમ નરેન્દ્ર મોદી પર ટિપ્પણીનો ઉલ્લેખ કરાયો હતો, જેને લઇને કેન્દ્રિય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને તેમને પાગલ કહી દીધા.

મોડાસાની મુલાકાતે ગુજરાત ગૌરવ યાત્રામાં પહોંચેલા કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને મીડિયાએ ગોપાલ ઈટાલિયાના નિવેદન પર પૂછેલા સવાલના જવાબમાં જણાવ્યું હતું કે, તેઓ ગુજરાતી ભાષા સમજે છે, ત્યારે ભારત મા પર આવી ટિપ્પણી અશોભનિય છે. પીએમ મોદીના માતા પર આવી ટિપ્પણી કરવી એ પ્રજાતંત્ર માટે યોગ્ય નથી, આવી ટિપ્પણી દિવાલિયા માનસિકતા ધરાવનાર વ્યક્તિ જ આવું કહી શકે, જેનું હું નિંદા કરૂં છું.

અત્રે ઉલ્લેખનિય છે કે, આપ નેતા ગોપાલ ઈટાલિયાના કેટલાક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થઇ રહ્યા છે, જેમાં તેઓ પીએમ મોદી પર ટિપ્પણી કરતા નજરે પડે છે, જેને લઇને રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો, અને ગોપાલ ઈટાલિયાને દિલ્હી પોલિસે અટકાયત પણ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!