નસવાડી ખાતે કોંગ્રેસની પરિવર્તન યાત્રાનું સ્વાગત મોટી સંખ્યામાં જન મેદની ઉમટી રાજ્ય સભા સાંસદ નારણ રાઠવાના ડબલ એન્જીન સરકાર ઉપર કટાક્ષ
નસવાડી એસ. બી. સોલંકી વિદ્યામંદીર ના પંટાગણમાં કોંગ્રેસની પરિવર્તન યાત્રા આવી પહોંચતા વિરોધપક્ષ નેતા સુખરામ રાઠવા રાજ્ય સભા સાંસદ નારણ રાઠવા માજી ધારાસભ્ય ધીરુભાઈ ભીલ તેમજ કોંગ્રેસના કાર્યકરો હાજર રહ્યા સાથે જંગી મેદની ને સંબોધન કરતા રાજ્ય સભા સાંસદ નારણ રાઠવા એ જણાવ્યું કે દેશના વડા પ્રધાન ગુજરાતમાં ડબલ એન્જીન ની સરકાર ચલાવે છે તેનો મતલબ પહેલાહુ રેલ રાજ્યમંત્રી હતો એટલે જાણુ છુ કે રેલ ગાડીમાં એક એન્જીન ફેલ થઇ જાય એટલે કારખાના માં લઇ જવા ડબલ એન્જીન લગાવવામાં આવે છે એટલે એનો મતલબ એ થયોકે ભુપેન્દ્ર પટેલની સરકારનું એન્જીન બગડી ગયુ છે એટલે દિલ્હીવાળી સરકાર નરેન્દ્ર મોદીનું એન્જીન લગાવવામાં આવ્યું છે ડબલ એન્જીન સરકાર ગરીબોને રોજી આપતી નથી ખેડૂતો મુશ્કેલીમાં છે કોંગ્રેસ સરકાર વખત નોકરી આપી હતી તે પણ કોઈને કોઈ બહાના હેઠળ છીનવી લેવામાં આવે છે તેમના વક્તવ્ય થી જંગી મેદની માં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું હવે એ જોવું રહ્યું સંખેડા 139 વિધાનસભામાં વિજય નો કળશ કોના શિરે આવે છે