ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડગમ વાગી ચૂક્યા છે ત્યારે રાજકીય પાર્ટીઓમાં ઉથલપાથલ ની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે વિજયનગર તાલુકા પંચાયતના વિપક્ષ નેતા સહિત તાલુકાના સરપંચો અને ડેપ્યુટી સરપંચોએ કોંગ્રેસ છોડી ભાજપમાં પ્રવેશ્યા.ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે રાજકીય પાર્ટીઓમાં ઉથલ પાથલની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ખેડબ્રહ્મા બેઠકના પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલ કોંગ્રેસનો હાથ છોડી ભાજપમાં જોડાયા હતા જોકે ભાજપમાં જોડાતા ની સાથે જ તેમના જુના સાથીઓને પણ ભાજપમાં લાવવાની શરૂઆત કરી લીધી છે ત્યારે આજે વિજયનગર તાલુકા પંચાયતના વિપક્ષના નેતા સહિત વિજયનગર તાલુકાના ગામડાઓના સરપંચો અને ડેપ્યુટી સરપંચો પણ આજે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા છે. અશ્વિન કોટવાલની આગેવાનીમાં 50 જેટલા સરપંચો અને ડેપ્યુટી સરપંચો કોંગ્રેસમાંથી મુક્ત થઈ ભાજપમાં જોડાયા છે.
રાજકીય ઉથલપાથલ ની વચ્ચે ખેડબ્રહ્મા બેઠકના પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલ સક્રિયતાથી ખેડબ્રહ્મા બેઠક પર કાર્યરત છે ત્યારે તેઓએ આજે હું કાર કરું છું કે તેઓના કોંગ્રેસ વખતના જુના સાથીઓ ને પણ સમયસર ભાજપમાં જોડી દઈએ અને ખેડબ્રહ્મા બેઠકને કોંગ્રેસમુક્ત બનાવી તેઓ ઓમકાર પણ આજે અશ્વિન કોટવાલે કર્યો છે.