ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થતાં નવા મંત્રી મંડળની રચના કરી દેવાઈ છે ત્યારે મંત્રીમંડળમાં કચ્છ અને સૌરાષ્ટ્રના ધારાસભ્યોને અન્યાય થયો હોવા અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે અને મંત્રી મંડળમાં સમાવવા રજૂઆત કરી છે.
રાજપુત કરણી સેનાના અધ્યક્ષ જે પી જાડેજા એ ભાજપ સરકારને રજૂઆત કરી છે કે પ્રધાન મંડળમાં સૌરાષ્ટ્ર કચ્છના ધારાસભ્યોને પ્રતિનિધિત્વ આપવામાં આવે. કચ્છના એક પણ ધારાસભ્યને પ્રધાનમંડળમાં સ્થાન નહીં મળવાની રજૂઆત પણ કરી હતી.
ભાજપ વિકાસ ની વાત કરે છે પણ સૌરાષ્ટ્ર કચ્છના દિગજ્જ ધારાસભ્યો સ્થાન આપવામાં આવ્યું નથી એવામાં આ વિસ્તારનો વિકાસ કેમ થશે વહેલાસર પ્રધાન મંડળ સામાવા જે. પી. જાડેજા માંગણી છે