દરેક વ્યક્તિનું અંતિમ સ્થાન સ્મશાન હોય છે અને સ્મશાનમાં છેવટે મૃત દેહને સ્મશાનમાં અગ્નિ સંસ્કાર આપી દેવામાં આવે છે.આમ કોઈપણ વ્યક્તિનું અંતિમ સ્થાન સ્મશાન હોય છે પરંતુ જયારે મનુષ્ય અવતાર ભાન ભૂલે છે ત્યારે તે કાયનો રહેતો નથી જેમાં એક એવી ઘટના સામે આવી કે જે જગ્યાએ બધાએ જવાનુ હોય છે તે સ્મશાનમા મૃત દેહને સઘડી પર મૂકી અગ્નિ આપવામાં આવે છે તે સઘડી ની ચોરી થતા ચક્કચાર જોવા મળી હતી મેઘરજ તાલુકાના જીતપુર ખાખરીયા ગામે પાચ થી છ ગામનું સ્મશાન આવેલું છે ત્યાં સતત બીજી વાર સ્મશાનમાં રહેલી સઘડી ચોરાઈ ની ઘટના સામે આવી છે ત્યારે કહી શકાય કે સઘડી ચોરો એ પણ બાકી ના મૂકી જેમાં નજીકમાં ગામના લોકોને જાણ થતા તપાસ કરતા જોવા મળ્યું હતું કે સ્મશાન માં રહેલી જે સઘડી હતી તે ચોરાઈ હોવાનું જાણવા મળ્યું હતું જેમાં આ બાબતે પંચાયતમાં પણ જાણ કરાઈ હતી તેમજ ઇસરી પોલિસ સ્ટેશન ખાતે મૌખિક વાત કરી ચોરી અંગેની જાણ કરવામાં આવી હતી