અરવલ્લી જિલ્લાના વડા મથક મોડાસામાં વી એસ શાહ પ્રા શાળામા યુવાનો અને જરૂરિયાત મંદોને રોજગારી મળી રહે ગામડાઓમાં લઘુ ઉદ્યોગો સ્થાપના થાય તે માટે સંઘની ભગિની સંસ્થાઓ દ્વારા દેશભરમાં સુજન કેન્દ્રો ની સ્થાપના કરી રોજગારી લક્ષી તાલીમ આપવાનું તેની બુકલેટો દ્વારા યુવાનોને જરૂરીયાત મંદોને સમજ આપી ધંધા ઉદ્યોગ સ્થાપના કરવામાં મદદ કરવા ના આસાયથી મોડાસા ખાતે રોજગારી સુજન કેન્દ્રની ઉદ્ઘાટન સ્વદેશી જાગરણ મંચના પ્રાંત સંયોજક ચેતન્ય ભટ્ટ પ્રાંત સંયોજક નિલેશ જોશી ના હસ્તે કરવામાં આવ્યું આ ઉદઘાટનમાં યુવાનો ઉપસ્થિત રહ્યા સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રીકાંત ગાંધી દ્વારા કરવામાં આવ્યું હતું