ગોધરા
દેસના રાજ્યોમાંથી આવેલા ૧૮૮ વિદ્યાર્થીઓ રાષ્ટિય એકતા શિબીર દરમિયાન અલગ અલગ એક્ટિવિટીમાં ભાગ લીધો હતો, સાત દિવસ સુધી ચાલનારા આ આદિવાસી અસ્મિતા પર્વ કાર્યક્રમમાં ગુજરાત,ઝારખંડ, પશ્ચિમ બંગાળ,તમિલનાડુ,કર્ણાટક,મહારાષ્ટ્ર,રાજસ્થાન,કેરળ અને તેલંગાણા રાજ્યોના વિદ્યાર્થીઓએ આ શિબિરમાં ભાગ લીધો હતો.ત્યારે એકતા શિબીરનુ પણ આયોજન કરવામા આવ્યુ હતુ, જેમા વિદ્યાથીઓને માનગઢ ધામની મુલાકાત કરવામા આવી હતી.
રાષ્ટ્રીય એકતા શિબિર એટલે કે એનઆઇસી જેનું આયોજન શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ના એન એસ એસ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવ્યું છે જેમાં ગુજરાત સહિત કુલ નવ રાજ્યોના 200 ઉપરાંત વિદ્યાર્થીઓએ તાજેતરમાં માનગઢ ધામની મુલાકાત લઈ માનગઢ નો ઇતિહાસ જાણ્યો હતો. છત્તીસગઢ ,તેલંગાણા, પશ્ચિમ બંગાળ, કેરાલા, મધ્યપ્રદેશ,ઓરિસ્સા, રાજસ્થાન સહિતના વિદ્યાર્થીઓએ ગુરુ ગોવિંદ નો ઇતિહાસ જાણી જલિયાવાલા બાગથી પણ જધન્ય અપરાધ અંગ્રેજોએ માનગઢ ધામ ખાતે કર્યો હતો ત્યારે દેશને આઝાદી આપવામાં ગુરુ ગોવિંદ ની ભૂમિકા જાણી સૌ કોઈ અભિભૂત થઈ ગયા હતા .સમગ્ર પ્રવાસનું આયોજન એનએસએસ ના યુનિવર્સિટીના કોર્ડીનેટર ડો. મયંકભાઈ શાહની આગેવાનીમાં એનએસએસ ટીમ દ્વારા સંપન્ન થયું હતું .