34.5 C
Gujarat
Monday, July 13, 2026
Home ગુજરાત પંચમહાલ : શહેરા તાલુકાના જુના વલ્લભપુર ગામે દિપડાની દહેશતથી ગ્રામજનોમા ભય,વનવિભાગ દ્વારા...

પંચમહાલ : શહેરા તાલુકાના જુના વલ્લભપુર ગામે દિપડાની દહેશતથી ગ્રામજનોમા ભય,વનવિભાગ દ્વારા પાંજરુ મુકાયુ

0
132

 

શહેરા
પંચમહાલ જીલ્લાના જુના વલ્લભપુર ગામે આવેલા મહિસાગર નદીના પટ વિસ્તારમાં દિપડો દેખાતા હોવાનુ ગ્રામજનો દ્વારા જણાવામા આવતા વનવિભાગ દ્વારા કાંઠા વિસ્તારમાં પાજરુ મુકવામા આવ્યુ છે. હાલ દિપડો પાજરે પુરાયો નથી.દિપડા દ્વારા પશુઓનુ મારણ કરવામા આવ્યુ હોવાનુ ગ્રામજનો દ્વારા જણાવાયુ હતુ.

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના જુના વલ્લભપુર ગામે પાછલા દિવસોથી દિપડાની દહેશતથી લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. ગ્રામજનો દ્વારા જણાવાવુ છે કે આ દિપડાએ મહિલા પર પણ હુમલો કર્યો હતો. અને પશુઓનુ પણ મારણ કર્યુ હતુ. આ મામલે ગ્રામજનો દ્વારા વનવિભાગને જાણ કરવામા આવતા મહિસાગર નદીના પટમાં પાંજરુ મુકવામા આવ્યુ છે. ગ્રામજનો દ્વારા આ દિપડો પકડાઈ જાય તેમ ઈચ્છી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!