સર્પ દંશ: અરવલ્લીના બાંઠીવાડા ગામે ગાઢ નિંદ્રામાં સુતેલા સાળા બનેવીને સાપે દંશ મારતા બનેવીનું મોત,સાળો સારવાર હેઠળ
અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના બાંઠીવાડા ગામે ગત રાત્રીએ ખાટલામાં ગાઢ નિંદ્રામાં સુતેલા ૨૪ વર્ષીય મહેશભાઇ શનાભાઇ ડામોર અને તેમના સાળા શનાભાઇ ભુરાભાઇ ના ઓને ઝેરી સાપે દંશ માર્યો હતો.બંને ને ઝેરની અસર થતા,મેઘરજની જલારામ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયા હતા,જેમાં બનેવીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું,જ્યારે શનાભાઇ ભુરાભાઇ હાલ સારવાર હેઠળ છે.સ્થાનીકોએ સાપનું રેસ્ક્યુ કરનાર જાલમભાઇ ખાંટને બોલાવી સાપનુ રેસ્ક્યુ કરાયુ હતુ.સર્પ દંશ થી મહેશભાઇ ભુવાજીનું મોત નિપજતા વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી હતી.
