મંગળવારે વહેલી સવારે આવેલા ભૂકંપના આંચકાથી આંદામાન અને નિકોબાર ટાપુઓ હચમચી ગયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.0 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, આજે સવારે લગભગ 5:57 વાગ્યે ટાપુઓમાં આંચકા અનુભવાયા હતા.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે, ભૂકંપનું કેન્દ્ર બિંદુ પોર્ટ બ્લેરથી 215 કિમી ESE દૂર હતું. ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ અહેવાલ નથી. અધિકારીઓએ એ પણ જણાવ્યું હતું કે, સોમવારે જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લામાં 3.2 તીવ્રતાનો નીચી-તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, પરંતુ કોઈ નુકસાન થયું ન હતું.
અધિકારીઓએ જણાવ્યું કે, ભૂકંપ કેન્દ્રશાસિત પ્રદેશના ડોડા વિસ્તારમાં બપોરે 12.12 વાગ્યે આવ્યો હતો. તેમણે કહ્યું કે તેનું કેન્દ્રબિંદુ 33.12 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 5 કિમીની ઊંડાઈએ 75.55 ડિગ્રી પૂર્વ રેખાંશ પર હતું.