નસવાડી ગેસ્ટહાઉસમાં મોરબીમાં બનેલી દુર્ઘટનાને લઈને મૃતકોના આત્માને શાંતિ મળે તે માટે ભાજપા યુવા મોરચા નસવાડી દ્વારા પ્રાર્થના કરી બે મિનિટનું મૌન ધારણ કરી શ્રદ્ધાંજલિ અપર્ણ કરી હતી.
નસવાડી તાલુકા કોંગ્રસ સમિતિ દવારા મોરબી મા પુલ દુર્ઘટના ને લઈ 132 થી વધુ લોકો ના મોત થયા જેને શ્રધાંજલિ નો કાર્યક્મ યોજાયો હતો. કોંગ્રેસ પક્ષ ના માજી ધારાસભ્ય ધીરુભાઈ ભાઈ ભીલ એ રાજકારણ ની વાત ન કરી અને જે પુલ વર્ષો થી હતો ત્યારે કોઈ ઘટના બની ન હતી. અને પુલ ના રીનોવેશન થયા બાદ જયારે પુલ તૂટી પડે અને માનવ જીદંગી ઓ મરી જાય આ ઘટના ને વખોડી આ પુલ દુર્ઘટના મા બે જવાબદાર સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી છે. નસવાડી તાલુકા પ્રમુખ જયેન્દ્રસિંહ સોંલકી, નસવાડી જૂથ ગ્રામ પંચાયત ઉપ સરપંચ સુભાસ ભાઈ પડ્યા સાથે અન્ય હોદ્દેદારો હાજર રહી મોરબી હોનારત મા અવશાન પામેલ લોકો ને પ્રાર્થના સાથે શ્રધાંજલિ પાઠવી હતી.
અલ્કેશ તડવી રીપોટર
નસવાડી છોટાઉદેપુર