ભારતીય જનતા પાર્ટી નસવાડી તાલુકા દ્વારા મોરબી ખાતે પૂલ તૂટવાથી જાનહાની પામેલ સ્વર્ગસ્થતો ને શ્રદ્ધાંજલિ આપવામાં આવી
મોરબી ખાતે ઝુલતો પુલ ટૂટવાની દુઃખદ ઘટનામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા એ ખૂબ જ દુઃખદ ઘટના છે પરમ કૃપાળુ પરમેશ્વર એમની દિવ્ય આત્મા ને શાંતિ આપે એ સંદર્ભે નસવાડી તાલુકા દ્વારા શ્રદ્ધાંજલી નો કાર્યક્રમ ગાયત્રી મંદિર જકાત નાકા , નસવાડી ખાતે રાખવામાં આવ્યો હતો જેમાં નસવાડી તાલૂકા ભાજપ પ્રમુખ ગોપાલસિંહ તેમજ તાલુકાના અન્ય હોદ્દેદારો એ હાજર રહી મોરબી ઝુલતા પૂલ ના મૃતકોને બે મીનીટ નું મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી અને પરમ કૃપાળુ પરમેશ્વર એમની દિવ્ય આત્મા ને શાંતિ આપે તેવી પાર્થના કરી નસવાડી તાલુકા દ્વારા શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી
અલ્કેશ તડવી રીપોટર
નસવાડી છોટાઉદેપુર