પેઢમાલા ચંદ્રમોલેશ્વર મહાદેવ મંદીર ખાતે શિવરાત્રિ પર્વની ઉજવણ
Advertisement
હિંમતનગર તાલુકાના પેઢમાલા ગામે ચંદ્રમોલેશ્વર મહાદેવના મંદિરે સવારથી જ ભક્તો ની દર્શન માટે ભીડ જોવા મળી હતી. શિવરાત્રિના પર્વને લઇને મહાદેવને પૂજન અર્ચન તેમજ શિવલિંગ પર બીલીપત્રો, દૂધ અને જળાઅભિષેક તેમજ પુષ્પોથી શિવજીની પૂજા કરવામાં આવી હતી. આચાર્ય સતીષ ભાઈ શાસ્ત્રી (પેઢમાલાવાળા) દ્વારા રાત્રી સમયે ચાર પ્રહરની મહાપૂજા કરાવાઈ હતી તેમ શ્રી પેઢમાલા માઈ મંડળ ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન મુકેશભાઈ ભટ્ટ દ્વારા જણાવાયું હતુ.
Advertisement
Advertisement