અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજી ખાતે રાજ્ય સરકાર અને અરવલ્લી જીલ્લા વહીવટી તંત્ર દ્વારા શામળાજી મહોત્સવ -2023 આગામી તા. 25/02/2023 થી તા. 26/02/2023 ના રોજ શામળાજી મંદિર ખાતે યોજવા નક્કી કરવામાં આવેલ છે. પરિસરમાં જુદા જુદા કલાવૃંદો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાનાર છે. ૨૦૧૬થી યોજાતા આ કાર્યક્રમમાં આસપાસમાંથી મોટી સંખ્યામાં નાગરિકો મહોત્સવ જોવા ઉમટે છે અને કાર્યક્રમનો આનંદ માણે છે. આ વર્ષે યોજાનાર શામળાજી મહોત્સવ સાંજે 7:30 કલાક્થી પ્રારંભ થશે.
આ મહોત્સવમાં કૃષ્ણલીલા અને કૃષ્ણભક્તિ આધારિત કાર્યક્રમો યોજાશે જેમાં અરવિંદ વેગડા, હેમાલી વ્યાસ જેવા કલાકારો પર્ફોર્મ કરશે. આ સરસ આયોજનમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ જિલ્લાના નાગરિકો જોડાય અને શામળાજી મહોત્સવનો આનંદ માણે તે માટે મોડાસા પ્રાંત અધિકારી અમિત પરમારે જિલ્લા વહીવટી તંત્ર વતી જાહેર જનતાને શામળાજી મહોત્સવમાં પધારવા અપીલ સહ આમંત્રણ પાઠવ્યું.