વૃક્ષોનું મહત્વ માત્ર ઉનાળામાં જ સમજાય છે જ્યારે ધમધોખતા તાપમાં જ્યારે છાયડાનું શોધમાં આપણે આમ-તેમ ભટકતા હોઇએ છીએ. પણ આવા સમયે જ્યારે ભટકવાનો વારે ન આવે તે માટે તમામ લોકોએ આગળ આવી વૃક્ષો વાવવા જોઇએ જેથી આવનાર પેઢીને તેનો લાભ મળી શકે અને પર્યાવરણ બચાવવામાં આપણે પોતાનું યોગદાન આપી શકીએ.
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ટીંટોઇ ગામે પર્યાવરણ દિવસની ઉજવણી પહેલા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસની આગોતરી ઉજવણીના ભાગરૂપે ટીંટોઈ ખાતે 19 ગામોના સંયુક્ત યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી અમિતકુમાર પરમાર, મોડાસા મામલતદાર અરૂણ ગઢવી તથા મદદનીશ મતદાર નોંધણી અધિકારીના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. આ સાથે જ મતદારોને મતદાનના મહત્વ વિશે સમજૂતી આપવામાં આવી.
ટીંટોઇ ગામે યોજાયેલા અનેકવિધ કાર્યક્રમમાં ગામના આગેવાનો, શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા શિક્ષણવિદો તેમજ ગ્રામ પંચાયતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.