કવિ શ્રી ઉમાશંકર જોશી ના જન્મ દિવસ નિમિતે ગંગોત્રી ટ્રસ્ટ તરફથી શરૂ કરેલા ઉમાશંકર જોશી ગુજરાત અધ્યયન કેન્દ્ર તરફથી જાન્યુઆરી – માર્ચ 2022 દરમ્યાન સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની કોલેજો ના વિધાર્થી ઓ માટે એક નિબંધ સ્પર્ધા યોજવામાં આવી હતી.
આ સ્પર્ધા ના ઇનામ વિતરણ નો કાર્યક્રમ અને એક પરિસંવાદ ઉમાશંકર જોશી ના જન્મ દિવસ તારીખ 21/7/2022 ને ગુરુવારે સવારે 9 વાગ્યે સ્વ. એસ. એચ. જોશી અને બી. કે જોશી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, બામણા ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં અમારી માતૃશ્રી એલ. જે ગાંધી બીસીએ કૉલેજ, મોડાસા ની વિધાર્થીની 1. સુથાર રીતુબેન. સી., 2. સોની ધરતીબેન બી. અને 3.સથવારા સ્નેહાબેન કે. એ ભાગ લીધેલ હતો, જેમાં એમના નિબંધ ને પ્રોત્સાહન ઇનામ રૂપે રૂપિયા 501 રૂપિયા અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા હતા. વિજેતા થયેલા વિદ્યાર્થીઓને કૉલેજ પ્રમુખ નવીનચંદ્ર મોદી, કૉલેજ ના માનદમંત્રી અરવિંભાઇ મોદી અને કૉલેજ ના પ્રિન્સીપાલ ડો. જયદીપભાઈ ત્રિવેદી એ કૉલેજ પરિવાર વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી.