વિધાનસભાની ચૂંટણીના ભણકારા વચ્ચે રાજ્યમાં ફરજ બજાવતા કર્મચારીઓ તેમની વર્ષો જૂની પડતર માંગણીઓને લઈને આંદોલન કરી રહ્યા છે, પોલીસ કર્મીઓ, આરોગ્ય કર્મીઓ, આંગણવાડી કાર્યકરોના આંદોલન પછી હવે વનકર્મીઓએ સરકાર સામે રણશિંગુ ફૂંકી દીધું છે અને અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરતા પર્યાવરણ લક્ષી કામગીરીને માઠી અસર પહોંચી શકે છે વનવિભાગના કર્મચારીઓ અને ડિપાર્ટમેન્ટ આમને સામને આવી ગયું છે અને કર્મચારીઓ સામે શિક્ષાત્મક પગલાં ભરવાની ચીમકી ઉચ્ચારી હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે
ગુજરાત રાજ્ય સહિત અરવલ્લી જીલ્લાના વનકર્મીઓએ 6 સપ્ટેમ્બરથી માસ સીએલ પર ઉતરી કામગીરીથી અળગા રહેવાનો નિર્ણય કર્યો છે વનવિભાગના કર્મીઓએ ગ્રેડ પે, રજા પગાર બઢતીના 1:3 રેશીયા સહિત પડતર માંગણીઓને લઇ સરકાર અને વનવિભાગના ઉચ્ચ અધિકારીઓને વારંવાર રજુઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા વનવિભાગના કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા છે.અરવલ્લી જીલ્લામાં ફરજ બજાવતા 30 થી વધુ કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળમાં જોડાયા હતા અને તેમની પડતર માંગણી નહીં સ્વીકારાય ત્યાં સુધી હડતાળ યથાવત રહેશ તેમ ભાર પૂર્વક જણાવ્યું હતું