સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ માટે અને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પુસ્તકો મળી રહે તેવા ઉમદા હેતુથી ભાથીજી ક્ષત્રિય ઠાકોર સેવા ટ્રસ્ટ દ્વારા સંચાલિત ચાણક્ય લાઇબ્રેરીનો ધનસુરા ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સમાજ શૈક્ષણિક ક્ષેત્રે સમાજ આગળ વધે, સમાજ જાગૃત બને તેના વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી
અરવલ્લી જીલ્લામાં ભાથીજી ક્ષત્રિય ઠાકોર સેવા ટ્રસ્ટ(BKTS) સમાજના ઉત્થાન માટે સેવાકીય કાર્યો અને જરૂરીયાત મંદ પરિવારોને મદદ માટે હંમેશા આગળ રહે છે ત્યારે ક્ષત્રિય ઠાકોર સેનાના યુવાન-યુવતીઓ અભ્યાસ ક્ષેત્રે આગળ વધે તે માટે ખાસ ઝુંબેશ ઉપાડી છે અને ગ્રામ્ય વિસ્તારોમાં નિઃશુલ્ક ટ્યુશન ક્લાસીસ અને લાઈબ્રેરી ચલાવી રહ્યા છે ધનસુરામાં ભાથીજી ક્ષત્રિય ઠાકોર સેનાએ ચાણક્ય લાઈબ્રેરીનો પ્રારંભ થતા વિદ્યાર્થીઓમાં આનંદ છવાયો હતો આ પ્રસંગે મહેશ સિંહ ઠાકોર (પ્રદેશ પ્રમુખ), કિશન સિંહ ચૌહાણ(બાયડ તાલુકા પ્રમુખ),મનોજ સિંહ ઝાલા(સિટી પ્રમુખ બાયડ) ચંદ્રપાલસિંહ વગેરે સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા