હાલમાં જ એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ (EPFO) દ્વારા PF ખાતામાં જમા રકમ પર ટેક્સને લઈને નવી ગાઈડલાઈન બહાર પડી છે. જેમાં આ દિશાનિર્દેશો ખાસ કરીને ખાનગી ક્ષેત્રના એવા કર્મચારીઓ સાથે સંબંધિત છે, જેમનું પીએફ ખાતામાં એક વર્ષમાં 2.5 લાખ રૂપિયાથી વધુ યોગદાન છે. જો કે સરકારી કર્મચારીઓ માટે મર્યાદા 5 લાખ ની છે.
નવી માર્ગદર્શિકામાં આ વાત ખાસ
આ EPFOની નવી માર્ગદર્શિકા પ્રમાણે, 2.5 લાખથી વધુ વાર્ષિક યોગદાન ધરાવતા પીએફ ખાતાઓ ના અંતિમ સેટલમેન્ટ અથવા ટ્રાન્સફરની સ્થિતિમાં નથી, જો કે જે દિવસે વ્યાજ જમા થશે તે દિવસે આ ખાતાઓમાંથી TDSની રકમ કપાશે. આ EPFO થી EPFO અથવા EPFO થી મુક્તિ પ્રાપ્ત સ્થાપના, તેમજ PF ખાતાની ફાઇલ સેટલમેન્ટમાં PFની રકમ ટ્રાન્સફર કરતી વખતે TDS આપશે
મૃત્યુ પર TDS થશે
EPFOએ કહ્યું છે કે ખાતાધારકના મૃત્યુ પછી પણ TDS વસુલ કરશે, આનું કારણએ કે તે જીવંત સભ્ય માટે છે.
જો PAN PF એકાઉન્ટ સાથે લિંક નથી.
જો કોઈ વ્યક્તિનું માન્ય PAN કાર્ડ પીએફ ખાતા સાથે લિંક છે, તો તેણે 10 ટકાના દરે TDS ચૂકવવો પડશે. #જો PF એકાઉન્ટ PAN સાથે લિંક નથી, તો જે તે વ્યક્તિએ 20 ટકાના દરે TDS ની ચુકવણી કરવી પડશે. #જેનો અર્થ એ કે PAN PF એકાઉન્ટ સાથે લિંક નથી, તો બમણો ટેક્સ ચૂકવવો પડશે. જો કે, જો TDS ની રકમ 5000 રહે છે, તો PF સબસ્ક્રાઇબરના ખાતામાં ક્રેડિટ વ્યાજમાંથી કોઈ કપાત કરવામાં આવશે નહીં.