9 ઓગસ્ટ સમગ્ર વિશ્વમાં વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવામા આવે છે.પંચમહાલ જીલ્લામાં આદિવાસી સમાજની વસ્તી બહોળા પ્રમાણમાં છે.આજે જીલ્લાના તમામ તાલુકાઓમા આદિવાસી સમાજ દ્વારા રંગેચંગે ઉજવણી કરવામા આવી હતી.હાલોલનગરમાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આદિવાસી સમાજ દ્વારા એક ભવ્ય રેલીનુ આયોજન કરવામા આવ્યુ હતુ.જેમા આદિવાસી સમાજના લોકો પરંપરાગત વસ્ર પરિધાનમા સજ્જ જોવા મળ્યા હતા.સાથે સંગીતના ઢોલ શરણાઈ જેવા સાધનો વગાડીને આદિવાસી ગીતો પર ઝુમતા જોવા મળ્યા હતા.શહેરના માર્ગો ઉપર નીકળેલી રેલી નગરજનોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બની હતી.આદિવાસી સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.રાજકીય અગ્રણીઓ પણ આ રેલીમાં જોડાયા.રેલીમાં જય જોહાર અને જય આદિવાસીના નારા લાગ્યા હતા.ગોધરા શહેરમાં પણ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામા આવી હતી,જેમા આદિવાસી સમાજ દ્વારા રેલી કાઢવામા આવી હતી.અને રેલીનગરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી,રેલીમાં આદિવાસી ભાઈ-બહેનો જોડાયા હતા.