વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ આમ આદમી પાર્ટીની કામગીરી પૂરજોશમાં શરૂ થઇ ગઇ હોય તેવું લાગે છે. દિલ્હીના મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સતત ગુજરાતની મુલાકાત કરી રહ્યા છે. સોમવારના રોજ ગુજરાતની મુલાકાત દરમિયાન તેમણે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એટલે કે, એસ.ટી.ના કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરી છે.
અમદાવાદ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું કે, એસ.ટી.ના કર્મચારીઓનો પગાર ખૂબ જ ઓછો છે અને તેઓ ઘણાં સમયથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, પણ તેમની વાત હજુ સુધી સાંભળવામાં નથી આવી. આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો માત્ર એક મહિનામાં તેમની તમામ માંગને સંતોષવામાં આવશે.
સાંભળો શું કહ્યું, અરવિંદ કેજરીવાલે…