સમગ્ર રાજ્યમાં તહેવારીની મોસમ વચ્ચે રાજકારણ પણ ગરમાયું હોય તેવું લાગે છે. સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત ગણેશ મંડપના મુલાકાતે પહોંચેલા આપના નેતા અને પ્રદેશ મહામંત્રી પર હુમલો કરવાં આવ્યો છે. આપના નેતાઓએ ભાજપ પર હુમલાના આક્ષેપો કર્યા છે. આપના કાર્યકરોએ આમ આદમી પાર્ટીના ફેસબૂક પર વીડિયો શેર કરતા જણાવ્યું કે, સુરતમાં ગણેશ મહોત્સવની મુલાકાત માટે ગયેલા AAPના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા પર સીમાડા નાકા પાસે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટી દ્વારા આની પાછળ ભાજપના ગુંડા તત્વોનો હાથ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.
ઈજાગ્રસ્ત થયેલા આપના મહામંત્રીને ઈજાગ્રસ્ત હાલતમાં તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવાયા હતા, જ્યાં સારવાર આપવામાં આવી રહી છે.