શ્રી સરસ્વતી ઇંગ્લીશ મીડીયમ સ્કુલ માં જું.કેજી તથા સી.કેજીના વિધાર્થીઓનો પદવીદાન સમારંભ યોજવામાં આવ્યો, જેમાં જુ.કે.જી તથા સી.કેજી ના વિધાર્થીઓને પહેલા ધોરણમાં પ્રવેશ પહેલા પદવીદાન કરવામાં આવી સાથે સાથે નવા આવનાર વિધાર્થીઓનો સ્વાગત કાર્યક્રમ તથા નવા એક્ટીવીટી રૂમ અને રમકડાં ઘરનો ઉદ્દઘાટન કરવામાં આવ્યું જેમાં મંડળના ઉપપ્રમુખ ડો હરીલાલ પટેલના અધ્યક્ષ સ્થાને રજુઆત થઇ ત્યારે પ્રમુખ રાજુભાઈ પટેલ, મંત્રી રણછોડભાઈ તથા કારોબારી સભ્યઓ, માધ્યમિક વિભાગના આચાર્ય ડો.જીગ્નેશ સુથાર તથા ગુજરાતી પ્રાથમિકના આચાર્ય વિનોદભાઈ પટેલ, તથા અંગ્રેજી માધ્યમના આચાર્યા દુર્ગાબેન ત્રિવેદી તથા શાળાના અન્ય સ્ટાફ મિત્રોના સહકારથી કાર્યક્રમ સફળ રહ્યો હતો. નાના નાના ભુલકાઓ પોતાની એક્ટીવીટી રજૂ કરી સોને આનંદ પ્રાપ્ત થયો . આ સાથે વાલી ભાઈ બહેનો ખૂબ આનંદ ઉત્સાહ માણ્યો. આ કાર્યક્રમ બાળકોને પોતાની આવકારી જિંદગી માટે હંમેશા યાદગાર બની રહેશે. પોતાની કારકિર્દીમાં શિક્ષણ સાથે શિસ્ત-સંસ્કાર પ્રાપ્ત કરતાં રહેશે.વાલીઓ નોંધ લીધી આ શાળાના શિક્ષણથી અમારા સંતાનો જીવનમાં શિખરો સર કરી લેશે.