37 C
Ahmedabad
Saturday, May 18, 2024

મને રાજનીતી કરતા નથી આવડતું પરંતુ ભ્રષ્ટાચાર ખતમ કરતા આવડે છે, ગુજરાતમાં ભ્રષ્ટાચાર ખતમ કરવો છે : કેજરીવાલ


મને રાજનીતી કરતા નથી આવડતું પરંતુ ભ્રષ્ટાચાર ખતમ કરતા આવડે છે. ઉપરોક્ત વાત અરવિંદ કેજરીવાલે અમદાવાદના રોડ શો દરમિયાન કરી હતી.

Advertisement

કેજરીવાલ અને ભગવંત માન બન્ને મુખ્ય મંત્રી અમદાવાદ પૂર્વ વિસ્તારમાં પહોંચી ચૂક્યા છે. કેજરીવાલ અને ભગવંત માન નિકોલ વિસ્તારમાં આ રોડ શોનો પ્રારંભ કર્યાે હતો.

Advertisement

આ રોડ શો નાે પ્રારંભ કરાવ્યા બાદ પંજાબના સીએમ ભગવંત માનના સંબોધન બાદ દિલ્હીના સીએમ અને આપ પાર્ટીના રાષ્ટ્રીય સંયોજનક અરવિંદ કેજરીવાલે ગુજરાતના લોકોને સંબોધન કરતા કહ્યું કે, અહીં ઉપરથી નીચે સુધી તિરંગાઓ જ છે ચારેબાજું તિરંગા છે દેશભક્તિની ભાવનાઓ જાગે છે. ભગવંત માન મારા નાના ભાઈ, ગુજરાતના નાના ભાઈ ગોપાલ ઈટાલિયા છે. મને રાજનીતી કરતા નથી આવડતું પરંતુ ભ્રષ્ટાચાર ખતમ કરતા આવડે છે. તમે દિલ્હીની કોઈ હોસ્પિટલમાં જશો તો તમારે ઈલાજના પૈસા નથી આપવા પડતા ફ્રીમાં સારવાર થાય છે. પંજાબમાં ભગવંત માને 10 દિવસમાં ભ્રષ્ટાચાર ખતમ કરી દીધો. કોઈ કચેરીમાં જતા રહો, લાયસન્સ બનાવવા જતો રહો 10 મિનિટમાં કામ થઈ જશે

Advertisement

આ સાથે જ ઉદબોધન પહેલા અરવિંદ કેજરીવાલે ઈંકબાલના નારાઓ તેમને લગાવ્યા હતા. અરવિંદ કેજરીવાલ ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા આ સાથે જ કેમ છો, મજામાં કહીને અભિવાન ઝીલ્યું હતું.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!