માલપુર તાલુકાના 20 પરિવારો વારાણસી,અયોધ્યા નેપાળ ના પ્રવાસ માટે પ્રસ્થાન કર્યું
Advertisementજય રણછોડ ગાર્ડન હોટેલ દ્વારા ગુલાબ ના ફૂલ આપી સ્વાગત
Advertisement
મોડાસા અને માલપુર ના પાટીદાર સમાજ ના વીસ પરિવારના સભ્યો દસ દિવસ ના પ્રવાસ નેપાળ,વારાણસી,અયોધ્યા ની ટુર માં જતા વ્યક્તિઓની જય રણછોડ ગાર્ડન હોટલ ના માલિક મગનભાઈ પટેલ અને તેમના પુત્ર જયેશભાઇ પટેલ મૂળ માલપુર ના પનાવડા ગામના હોય તેમના દ્વારા હોટલ ના મુખ્ય દ્વારે ગુલાબ ના ફૂલ આપી સૌ પ્રવાસીઓનું સ્વાગત કર્યું હતું આ પ્રસંગે પટેલ જવેલર્સ ના માલિક મગનભાઈ પટેલ, એમ ડી પટેલ શૈક્ષણિક સંકુલ ના પ્રમુખ મહેશભાઈ પટેલ, બિલ્ડર આર કે પટેલ, વરિષ્ઠ પત્રકાર શૈલેષ પંડ્યા, મહેન્દ્રપ્રસાદ, સર્વેયર પંકજ પટેલ, અરવિંદભાઈ પટેલ ,રમેશભાઈ પટેલ સહિત ના સમાજ ના શ્રેષ્ટ પરિવાર નું સ્વાગત કરતા સૌએ આભાર વ્યક્ત કર્યો હતો અને હોટલ માલિક તેમજ સ્વામિનારાયણ ટુર ઓર્ગેનાઇજાર દ્વારા શુભેચ્છાઓ પાઠવી પ્રવાસ ની મંગળ શુભકામનાઓ પાઠવી હતી.