37 C
Ahmedabad
Saturday, May 18, 2024

અરવલ્લી : મોડાસાના પાલનપુર ખાતે આયુર્વેદિક અને હોમિયોપથીક નિદાન કેમ્પ


અરવલ્લી જિલ્લામાં કોરોના વાઈરસના કહેર સમયે સૌથી મહત્વની કામગીરી કરનારા હોમિયોપથીક અને આયુર્વેદિક વિભાગ અવ્વલ હતું. આ સાથે જ લોકો શારિરીક રીતે સ્વસ્થ રહે તે માટે યોગનો પ્રયાર કરવામાં આવતો હતો. ત્યારે હવે આયુર્વેદિક અને હોમિયોપથીક વિભાગ દ્વારા નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ નિદાન કરાવ્યુંય

Advertisement

નિયામક ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદિક અધિકારી અરવલ્લી ના માર્ગદર્શન હેઠળ મોડાસા તાલુકાના પાલનપુર પશુપતિનાથ મહાદેવ મંદિર ખાતે આયુર્વેદિક અને હોમિયોપથીક નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં જેમા આયુર્વેદના કુલ 65 અને હોમિયોપથીના 42 લાભાર્થીઓએ  લાભ લીધો હતો. આ સાથે જ 25 જેટલા લોકોએ યોગનો લાભ લીધો હતો.

Advertisement

સારવાર નિદાન કેમ્પમાં મંદિરના મહંત સર્વેશ્વરદાસજી, ડેપ્યુટી સરપંચ કાંતિભાઈ ભરવાડ અને ગામના આગેવાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી નિદાન સારવાર કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો, જેમાં આર્યુવેદિક ડો. ડિમ્પલ બેન અસારી, ડો.રીનાબેન અસારી અને હોમિયોપથીક ડો, ચંદ્રપાલસિંહ ચૌહાણ અને યોગ ઇન્સટ્રક્ટર રાકેશભાઇ, શકુન્તલાબેન, જયેન્દ્રભાઈ સહિત સેવક તરીકે સુરેન્દ્રભાઈ તરાર, રાજુભાઇ રહેવર અને મહિપાલસિંહ રહેવર એ સેવા આપી હતી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!