અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના વણઝરમાં વણઝર પ્રાથમિક શાળાના પરીસરમાં વણઝર યુવા સંગઠન દ્વારા ભારતીય બંધારણના ઘડવૈયા અને સમાજ સુધારક વિશ્વ રત્ન ડો. બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજી ની ૧૩૧ મી જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય ભીમ ડાયરો યોજાયો હતો. આ પ્રસંગે સ્વ. ધારાસભ્ય ડો.અનિલભાઈ જે. જોષીયારા ના સુપુત્ર કેવલભાઈ જોષીયારા, ભિલોડા તાલુકા પત્રકાર એકતા સંગઠનના પ્રમુખ જીતભાઈ ત્રિવેદી, દિનેશભાઈ પરમાર,વણઝર ગ્રુપ ગ્રામ પંચાયતના યુવા સરપંચ સંકેતભાઈ ચૌધરી, રાજકીય અને સામાજીક આગેવાનો સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Advertisement
Advertisement