30 C
Ahmedabad
Sunday, May 5, 2024

રણબીર-આલિયાના લગ્ન બાદ કપૂર પરિવાર કેમ નથી કરી રહ્યો રિસેપ્શન? ચોંકાવનારૂ કારણ આવ્યું સામે..


ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી ચર્ચિત કપલ ​​રણબીર કૂપર અને આલિયા ભટ્ટે 14 એપ્રિલના રોજ લગ્ન કર્યા હતા. રણબીર-આલિયાએ પરિવારના સભ્યો અને કેટલાક નજીકના મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા. લગ્નની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે અને આ બધા વચ્ચે સતત સવાલ ઉઠી રહ્યો છે કે શું હવે રણબીર અને આલિયા રિસેપ્શન આપશે?

Advertisement

જો કે લગ્ન બાદ નીતુ કપૂરે ઈશારામાં કહ્યું હતું કે જે થવાનું હતું તે હવે થશે નહીં. પરંતુ હજુ પણ લોકો અનુમાન લગાવી રહ્યા છે કે રિસેપ્શન તો થશે. પરંતુ તમને જાણીને નિરાશા થશે કે રણબીર-આલિયાના લગ્ન પછી ખરેખર કોઈ રિસેપ્શન રાખવાના નથી.

Advertisement

નીતુ કપૂર બાદ તેના કોરિયોગ્રાફર માસ્ટર જી રાજેન્દ્ર સિંહે પણ સ્પષ્ટ કર્યું કે કપૂર પરિવારને રિસેપ્શન કરવાનો કોઈ ઈરાદો લાગતો નથી, અને તેની પાછળનું કારણ પણ જણાવ્યું છે. પિંકવિલા સાથેની વાતચીતમાં, માસ્ટરજીએ કહ્યું, ‘કોઈ રિસેપ્શન નહીં થાય, જે પણ થઈ રહ્યું છે તે ચોક્કસ અફવા હશે. નીતુ કપૂર શૂટિંગ કરી રહી છે, રણબીર કપૂર શૂટિંગ કરી રહ્યો છે અને આલિયા પણ કામ કરી રહી છે, એટલે જે થયું તે છેલ્લું હતું. હવે કદાચ કોઈ એવી પૂજા હશે જેના વિશે મને બહુ ખબર નથી.

Advertisement

નીતુ કપૂરે પણ ના પાડી દીધી…
લગ્નની તમામ વિધિઓ પૂરી થયા બાદ નીતુ કપૂર પુત્રી રિદ્ધિમા અને જમાઈ ભરત સાહની સાથે મીડિયા સામે આવી હતી. તેણે પાપારાઝીનો આભાર માન્યો અને આલિયા અને રણબીર માટે ઘણો પ્રેમ પણ વરસાવ્યો. આ સિવાય જ્યારે તેમને રિસેપ્શન વિશે પૂછવામાં આવ્યું તો તેમણે સ્પષ્ટ કર્યું કે કોઈ રિસેપ્શન થવાનું નથી. ઉલટાનું તેણે કહ્યું કે બધું થઈ ગયું છે અને હવે તમે આરામથી ઘરે જઈને સૂઈ જાઓ.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!