કલેક્ટર નરેન્દ્રકુમાર મીનાની અધ્યક્ષતામાં સંકલનની બેઠક યોજાઈ
Advertisementપ્રજાના પ્રશ્નોને વાચા આપવા અધિકારીઓને સૂચના
Advertisementપ્રજા પરેશાન ન થાય તે માટે કલેક્ટર સતર્ક છે, જોકે કેટલીક કચેરીઓ અને અધિકારીને આમા રસ નથી
Advertisementપ્રજાને હાલાકી ન થાય તેવા આશાય સાથે કલેક્ટર સંકલનની બેઠકમાં સૂચનો કરે છે
Advertisementપણ….
AdvertisementRTO કચેરીમાં લાયસન્સ, RC બૂક તેમજ વાહન ટ્રન્સ્ફર સહિતની કામગીરી માટે અરજદારો પરેશાન !
AdvertisementRTO માં અધિકારીને 5 વર્ષથી સત્તા પર હોવાનો રૂઆબ કંઇક અલગ જ….
AdvertisementRTo કચેરીમાં દલાલોનો જમાવડો પણ અધિકારીઓનું ‘મૌનવ્રત’
AdvertisementAdvertisement
અરવલ્લી જિલ્લાના જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર નરેન્દ્રકુમાર મીનાની અધ્યક્ષતામાં તથા જિલ્લા વિકાસ અધિકારી શ્વેતા તેવટીયાની ઉપસ્થિતિમાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં જિલ્લા કલેકટર નરેન્દ્રકુમાર મીનાએ જણાવ્યું કે,સંકલનના અમલીકરણ અધિકારીઓને અરવલ્લી જિલ્લાના અરજ્દારો તરફથી આવતી ફરિયાદોનું દરેક પ્રશ્નોનોનું ઝડપથી નિરાકરણ આવે, પ્રજાની વચ્ચે રહીને પ્રજાને સરકારની વિવિધ વિકાસલક્ષી યોજનાઓનો લાભ અપાવીએ, તેમજ દરેક વિભાગના અધિકારીઓએ ફિલ્ડમાં જવું અને લોકોની સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટેના પ્રયાસો કરવા તાકીદ કરી હતી તથા રાત્રી ગ્રામ સભા યોજી અધિકારી ઓ સ્થળ ઉપર પ્રશ્નોનું નિરાકરણ કરવા પણ જરુરી સુચન અમલીકરણ અધિકારીઓને કર્યું હતું
જિલ્લા કલેક્ટર પ્રજા પરેશાન ન થાય તેવા તમામ પ્રયાસો કરી રહ્યા છે, પણ કેટલાક અધિકારીઓને જાણે સત્તાનો મોહ અને જાણે આખોય જિલ્લો તેમનો હોય તેવો રૂઆબ રાખી રહ્યા છે, જેમાં આર.ટી.ઓ. કચેરીમાં તો ખાસ. સામાન્ય થી સામાન્ય કામ માટે એક માત્ર દલાલો જ મદદરૂપ બની શકે છે માટે આલ્ફાબેટ પ્રક્રિયાથી જ કામ કરીને કટકી થતી હોવાની દલાલોમાં ચર્ચાએ જોર પકડ્યું છે.
કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી સંકલન બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્વેતા તેવટીયા, અધિક નિવાસી કલેકટર એન.ડી.પરમાર, બાયડ, મોડાસા પ્રાંત અધિકારીઓ અને સંકલનના અન્ય અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.