મેરા ગુજરાત, અમદાવાદ
ગુજરાતની મુલાકાતે પહોંચેલા યુ.કે. ના પ્રધાનમંત્રી બોરિસ જોન્સન ઐતિહાસિક ગાંધી આશ્રમની મુલાકાતે પહોંચ્યા હતા જ્યાં બાપૂને નમન કર્યા હતા. યુ.કે.ના પ્રધાનમંત્રી સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ઐતિહાસિક ગાંધી આશ્રમની મુલાકાતથી કરી હતી. ગાંધી આશ્રમ ખાતે તેમણે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને હૃદયકુંજમાં ગાંધીજીને પ્રિય એવો રેટિંયો પણ કાંત્યો હતો.
Advertisement
બોરિસ જોન્સનને ‘ગાઈડ ટુ લંડન’ અને ‘ઓટોબાયોગ્રાફી ઓફ મીરાબેન’ એમ બે પુસ્તકો ભેટ સ્વરૂપે આપવામાં આવ્યાં હતાં. ગાંધી આશ્રમની મુલાકાત દરમ્યાન તેમણે આશ્રમની પાછળના ભાગે અમદાવાદની ઓળખ સમા સાબરમતી રિવરફ્રન્ટને પણ નિહાળ્યું હતું. આ સાથે જ તેમણે ગાંધી આશ્રમ ખાતે વિઝિટર બૂકમાં પોતાની પ્રતિક્રિયા પણ નોંધી હતી.
Advertisement
Advertisement
Advertisement