મોડાસામાં ઈદ ની નમાઝ અદા કરાઈ
Advertisementમોડાસા ચાર રસ્તા પર ધાર્મિક સૌહાર્દનું
Advertisementવાતાવરણ,હિન્દૂ સમાજના અગ્રણીઓ દ્વારા મુસ્લિમ બિરાદરોને ઈદ મુબારક પાઠવ્યા
Advertisementરથયાત્રા ઉત્સવ સમિતિના સદશ્યો ઉપસ્થિત
AdvertisementAdvertisement
પવિત્ર રમઝાન માસ પૂર્ણ થતા સમગ્ર દેશમાં ઈદ-ઉલ-ફિત્રની ઉલ્લાસપૂર્વક ઉજવણીમાં મુસ્લિમ બિરાદરોએ એકમેકને ઈદ મુબારકરૂપી શુભેચ્છા પાઠવી હતી અરવલ્લી જીલ્લામાં શનિવારે ઈદગાહમાં રમઝાન ઈદ નીમીત્તે મુસ્લિમ બિરાદરોએ નમાઝ અદા કરી હતી. મોડાસા ટાઉન પોલીસ તંત્ર દ્વારા રમઝાન ઈદ માં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
મોડાસા શહેરના માલપુર રોડ પર આવેલી ઈદગાહમાં મોડાસા શહેરના મુસ્લિમ બિરાદરોએ નમાઝ અદા કરી હતી. આ વર્ષે માત્ર 3 હજાર લોકોને નમાઝ અદા કરવા માટેની મંજૂરી આપવામાં આવી હતી, તો સ્થાનિક કક્ષાએ મસ્જિદમાં નમાઝ અદા કરવા માટેની અલગથી વ્યવસ્થા કરવામાં આવી હતી. મોડાસા ચાર રસ્તા પર હિન્દૂ સમાજના અગ્રણીઓ અને રાજકીય પક્ષો અને સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા લોકો હરોળબદ્ધ ઉભા રહી ઈદગાહ માં નમાઝ અદા કરી પરત ફરતા અબાલ વૃદ્ધ સૌકોઈ મુસ્લિમ બિરાદરોને એકબીજાને ગળે મળી ઈદ મુબારક પાઠવતા ધાર્મિક સૌહાર્દનું વાતાવરણ પેદા થયું હતું.