યાત્રાધામ શામળાજી ખાતે ભગવાન શામળિયાના દર્શન કરવા માટે ભક્તોનો ધસારો જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ ભક્તો ભગવાન શામળિયાના દર્શન કરવા માટે આવી પહોંચ્યા હતા. હાલ અરવલ્લી જિલ્લામાં સરેરાશ 45 ડિગ્રી ગરમીનો અહેસાસ લોકો કરી રહ્યા છે આ વચ્ચે ભગવાનને પણ ગરમથી રાહત મળે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
ભગવાન શામળિયાના ગરમીને પગલે કોટનના વસ્ત્રોથી સજ્જ કરવામાં આવ્યા છે, અને માથે ચાંદીના મુગટ સાથે વિશેષ શણગાર કરવામાં આવતા શામળિયા શેઠના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી. શામળાજી ખાતે મોટી સંખ્યામાં ભક્તો વહેલી સવારથી જ દર્શન કરવા માટે આવી પહોંચ્યા હતા અને દર્શન માટે મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી.
કરો શામળિયાના દર્શન