અરવલ્લી જિલ્લામાં ઠેર-ઠેર ગટર લાઈનના ખાડા કરવાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, આ વચ્ચે મોડાસાની ગજનાનંદ સોસાયટીમાં રહીશોનો ચાલવું પણ મુશ્કેલ બન્યું છે. રસ્તાની બરોબર વચ્ચે જ પાણીનો વેડફાટ જોવા મળી રહ્યો છે ત્યારે પાલિકાની બેદરકારીનો ભોગ કેટલા લોકો બનશે તેવા વ્યંગ સોશિયલ મીડિયા પર થઇ રહ્યા છે.
Modasa ni gajanand society..ma bin season artificial varsad . Nagarpalika ni bedarkari have ketla ne heran krse .varsad pdse tyre su halat thse amari . Gov. Na rypiya khay ne betha etle Reply nathi. Apta @ModasaCity @DistrictEmploy5 @prant_modasa @MamlatdarModasa @DdoArvalli pic.twitter.com/7EkjDmvsJF
Advertisement— Dr.vivek_kapadiya_ (@The_Dox007) May 21, 2022
Advertisement
મેરા ગુજરાતના વાચકે સોશિયલ મીડિયા થકી આ અંગે જાણકારી આપતા જણાવ્યું કે, મોડાસાની ગજાનંદ સોસાયટીમાં ભર ઉનાળે ચોમાસા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે રસ્તો ક્યાં છે તે સમજાતું નથી. આ સાથે જ ત્રાહિત લોકોએ એમ પણ વ્યંગ કર્યો છે કે, પાલિકાની બેદરકારીથી આમ કેટલા લોકો ભોગ બનશે તે એક સવાલ છે. અનેકવાર રજૂઆત કરવા છતાં પાલિકાના પેટનું પાણી પણ નથી હલતું ત્યારે લોકોને સમસ્યાનું નિરાકરણ ક્યારે આવશે તે એક સવાલ છે.
મોડાસા શહેર હાલ ખાડાનું શહેર બન્યું હોય તેવી પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે. એક તરફ ઉનાળો છે અને પાણીની સમસ્યા છે તો પાલિકાએ એકાંતર દિવસે પાણી આપવાનું નક્કી કર્યું છે પણ ગજાનંદ સોસાયટીમાં પાણી રસ્તાઓ પર વેડફાઈ રહ્યું છે. પાણીનો વેડફાટ કેમ થાય છે તે એક સવાલ છે. જે કોઇ લોકો પાણીનો વેડફાટ કરતું હોય તેવા લોકો સામે કડક કાર્યવાહી થઇ જોઇએ તે પણ જરૂરી છે. અને જો પાણી પાલિકાની બેદરકારીથી વેડફાતું હોય તે તાત્કાલિક સમારકામ થવું તે પણ જરૂરી છે.