દિવંગત કોંગ્રેસના ધારાસભ્ય અનિલ જોષીયારાના પુત્ર કેવલ જોષીયારા ભાજપમાં જોડાતા અરવલ્લી જિલ્લામાં રાજકીય ગરમાવો આવી ગયો છે. જિલ્લા કોંગ્રેસની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે, અને આડકતરી રીતે કેવલ જોષીયારા પર પ્રહાર કર્યા. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કમલેન્દ્રસિંહ પુવારે જણાવ્યું કે, કેવલનો ભાજપ પ્રવેશ એ રાજકીય આત્મહત્યાનું પગલું છે. તેમણે એમ પણ જણાવ્યું કે, કેવલ જોષીયારાના ભાજપમાં જોડાવાથી કોંગ્રેસને કોઇ નુકસાન થવાનું નથી અને ભિલોડા બેઠકના મતદારો હંમેશા કોંગ્રેસ સાથે હતા અને કોંગ્રેસ સાથે જ રહેવાના છે.
જિલ્લા કોંગ્રેસ પ્રમુખની પ્રતિક્રિયા, સાંભળો શું કહ્યું
અત્રે ઉલ્લેખનિય છે કે, 24 મે ના રોજ ભિલોડા ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખની અધ્યક્ષતામાં કેવલ જોષીયારાએ ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કર્યો હતો. ત્યારે જિલ્લા કોંગ્રેસ સમિતિની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી હતી.