નરેશ પટેલની રાહ જોવામાં કોંગ્રેસ અટવાઈ ગઈ છે કેમ કે, કોંગ્રેસની કમિટીની નિમણુક અટકી છે. મિશન 2022 અંતર્ગત નરેશ પટેલે નિર્ણય ના કરતા કમિટીની નિમણુક અટકી પડી છે. કેમ કે, તેઓ હજુ સુધી ના જોડાતા કેમ્પેઈન, મેનિફેસ્ટો, પબ્લિસિટી, ઈલેક્શન મેનેજમેન્ટ કમિટી સહીતની નિમણૂક અટકી પડી હોવાની વિગતો મળી છે. નરેશ પટેલ જો કોંગ્રેસમાં જોડાય છે તો કેમ્પેઈન કમિટીના ચેરમેન બનાવવાનો નિર્ણય કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે પરંતુ તેમના કોંગ્રેસમાં જોડાવવાને લઈને મેનિફેસ્ટો કમિટીના ચેરમેનની જવાબદારી દિપક બાવળીયાને સોંપાય તેવી પણ શક્યતાઓ છે.
પબ્લિસિટી કમિટીની જવાબદારી પણ કોંગ્રેસ દ્વારા ફિક્સ કરી દેવામાં આવી છે. ત્યારે ઈલેક્શન મેનેજમેન્ટ કમિટીની જવાબદારી અર્જુન મોઢવાડીયાને સોંપાઈ શકે છે. આ ઉપરાંત નરેશ પટેલ કોંગ્રેસમાં ના જોડાય તો કોંગ્રેસની નિમણુકમાં ફેરફાર થઈ શકે છે. મિશન 2022 અંતર્ગત દરેક પાર્ટીઓની તૈયારીએો શરૂ કરી દેવામાં આવી છે. પરંતુ નરેશ પટેલ કોંગ્રેસમાં ક્યારે જોડાશે તેને લઈને હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી બની શકે છે. નરેશ પટેલની કેટલાક પ્રકારની માંગણીઓ હોય કે, જેમાં નરેશ પટેલની માંગ કોંગ્રેસના શીર્સ નેતૃત્વ પૂરી નહીં કરી શકતી હોય છે. ક્યાં કોકડુ ગુંચવાયું છે તેને લઈને પણ હજુ સુધી કોઈ સ્પષ્ટતા થતી નથી.