42 C
Ahmedabad
Saturday, May 18, 2024

લગ્ન પ્રસંગ માતમમાં ફેરવાયો : માલપુરના ઉભરાણ ગામે કાકાની દીકરીના લગ્નમાં મંડપ બંધાતા બે યુવકોના વીજ કરંટથી મોત


વીજ કરંટમાં બે યુવકોના કમકમાટી ભર્યા મોત થતા 7 સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી*

Advertisement

દેવી પૂજક સમાજના બે યુવકોના મોતના પગલે લગ્નગીતોના બદલે મરશીયા ગવાયા

Advertisement

અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં આવેલા ઉભરાણ ગામે કાકાની દીકરીના બે એક દિવસ પછી યોજાનારા લગ્ન પ્રસંગે મંડપ બાંધવા આવેલા ગાબટ ગામના 2 યુવકો ને વીજ કરંટ લાગતા ઘટના સ્થળે જ મોત થતા ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો હતો.

Advertisement

ઉભરાણ ગામે આગામી બે દિવસમાં કાકાની દીકરીનું લગ્ન હોવાથી ગાબટ ગામના દેવીપૂજક સમાજના 34 વર્ષીય ભલાભાઈ દેવીપૂજક અને 24 વર્ષીય કિશન દેવીપૂજક મંડપ બાંધવા આવ્યા હતા.આ બંને યુવકો મંડપ બાંધવા લોખન્ડ ની પાઇપો ઉભી કરી રહ્યા હતા ત્યારે ઉપરથી પસાર થતા જીવંત વિજતારને પાઇપ અડકી જતાં બન્ને યુવકોને વીજ કરંટ લાગ્યો હતો,કરંટ ના કારણે બન્નેના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.આ ઘટનામાં મૃત્યુ પામેલા ભલાભાઈના 5 સંતાનો અને કિશનભાઈના 2 સંતાનોના માથેથી પિતાની છત્ર છાયા દૂર થઈ જતા પરિવારજનો પણ મુશ્કેલી માં આવી ગયા છે.બનાવ અંગે માલપુર પોલીસને જાણ કરાતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!