31 C
Ahmedabad
Monday, May 20, 2024

Rathyatra 2022 : અરવલ્લી જિલ્લા કલેક્ટર જગન્નાથના દ્વારે પહોંચ્યા, ભગવાનનો રથ ખેંચ્યો


ગુજરાતમાં અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો શુભારંભ થયો છે ત્યારે વિવિધ જિલ્લાઓમાં ભગવાન જગન્નાથ નગરમાં ભક્તોને દર્શન આપવા માટે નગરચર્યાએ નિકળ્યા છે. રથયાત્રાને લઇને પોલિસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ રથયાત્રા નિમિત્તે તૈયારીઓ હાથ ધરવામાં આવી હતી.

Advertisement

Advertisement

મોડાસા શહેરના બાલકદાસજી મંદિરેથી યોજાતી જગન્નાથજીની રથયાત્રાને લઇને દર્શન કરવા માટે અરવલ્લી જિલ્લા કલેક્ટર ડો.નરેન્દ્રકુમાર મીના પહોંચ્યા હતા જ્યાં જગતનના નાથના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. જિલ્લા કલેક્ટર પરિવાર સાથે જગન્નાથજીના દર્શન કરવા માટે પહોંચ્યા હતા, જ્યાં જગન્નાથજીનો રથ ખેંચી રથયાત્રાનો શુભારંભ કરાવ્યો હતો. રથયાત્રા પહેલા મંદિર પરિસરમાં ફરી હતી, જ્યાં જિલ્લા કલેક્ટર ડોક્ટર નરેન્દ્રકુમાર મીના પણ દર્શનનો લ્હાવો લેવા માટે પહોંચ્યા હતા.

Advertisement

Advertisement

જિલ્લા કલેક્ટર ડો.નરેન્દ્રકુમાર મીનાએ જણાવ્યું કે, રથયાત્રાને લઇને તંત્ર દ્વારા પણ તૈયારીઓ કરવામાં આવી છે. પોલિસનો ચુસ્ત બંદોબસ્ત શહેરના વિવિધ વિસ્તારોમાં ખડકી દેવામાં આવ્યો છે. તેમણે રથયાત્રાને લઇને જિલ્લાવાસીઓને શુભેચ્છાઓ પણ પાઠવી હતી.

Advertisement

સમાચારોના સતત અપડેટ્સ માટે અમને Instagram, Facebook, YouTube, LinkedIn, twitter and Koo પર ફોલો કરો

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!