અરવલ્લી જિલ્લામાં આગામી 22 એપ્રિલ 2022 સુધી કમોસમી વરસાદની આગાહી હાવામાન વિભાગે કરી છે ત્યારે ખેડૂતોની ચિંતા વધી છે. ખેડૂતો ખેતરમાંથી પાક ઉતારી લીધો છે અને માર્કેટમાં વેચાણ અર્થે લઇ જવાની તૈયારી કરી રહ્યા છે ત્યારે ખેડૂતો માટે અરવલ્લી જિલ્લા ખેતીવાડી વિભાગે જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી તારીખ 22/04/2022 દિવસો દરમિયાન કમોસમી વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે. જે ધ્યાને લઇ ખેડૂતોએ કાળજી રાખવી જરૂરીછે હાલમાં પાક તૈયાર થયેલ હોયતી હાલ પુરતુ કાપણી ટાળવી. જો કાપણી થઇ ગઇ હોય તો તાડપત્રીઢાંકીને રાખવી. ખેતરમાં કાપણી કરેલ પાક અથવા ઘાસચારો ખુલ્લા હોય તો તેને તાત્કાલીક સલામત સ્થળેખસેડવાની કાર્યવાહી કરવી ખેડૂતોએ પોતાની ઉત્પાદિત થયેલ ખેત પેદાશ સલામત સ્થળે ગોડાઉનમાંરાખવા અથવા તાડપત્રીથી ઢાંકીને રાખવી અને તાડપત્રી હાથવગે રાખી વેચાણ અર્થે એપીએમસી અથવાખરીદ કેંદ્ર અર્થે લઇ જવાતી ખેત જણસીઓ તાડપત્રી ઢાંકીને લઇ જવી અને હવામાન ખાતાની આગાહીહોય તેવા સમયે વેચાણ શક્ય હોય તો ટાળવું. એપીએમસીમાં રહેલ ખેત જણસીઓ સલામત સ્થળેગોડાઉનમાં રાખવા વેપારી મિત્રોને વિનંતી છે. શક્ય હોય તો બાગાયતી પાકો માં પણ કાળજી લેવી જેમ કેબાગાયતી પાકો તેમજ શાકભાજી વગેરે તૈયાર હોય તો તુરંત ઉતારી લેવા હિતાવહ છે.