ગુરુપૂર્ણિમા નાં પાવન દિવસે યાત્રાધામ શામળાજી માં ભક્તો નું ઘોડાપૂર ઉમટ્યું વહેલી સવારથી જ ભકતો શામળીયા નાં દશૅન કરવા માટે લાંબી કતારો માં ઊભા રહીને ભગવાન શામળીયા નાં સન્મુખ દર્શન કરવા તત્પર બન્યા હતા ભગવાન શામળીયા નાં દશૅન કરીને ભક્તો ગુરુદતાતરની ટેકરી ખાખચોક મંદિર નાં 1008 મહંતશ્રી હરકિશન મહારાજ નાં આશ્રમ માં વહેલી સવારથી જ ભકતો ઉમટયાં હતાં
ભગવાન શામળીયા નાં દરબારમાં વહેલી સવારથી જ ભકતો શામળીયા નાં સન્મુખ દર્શન કરી નેં ધન્યતા અનુભવી હતી મંદિર નાં પુજારી પરેશભાઈ તથા વિનયભાઈ દ્વારા ભગવાન ને મખમલી વાંધા માં શણગારવામાં આવ્યા હતા ભગવાન શામળીયા નેં હીરા મોતી સોના નાં આભુષણો પહેરાવી ભગવાન ની પ્રતિમા મનમોહન લાગતી હતી વરસાદ માં પણ ભકતો શામળીયા નાં દરબારમાં ઊમટી પડ્યા હતા શામળાજી મંદિર તરફ આવતો સર્વિસ રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો શામળાજી મંદિર રોડ બસસ્ટેશન હાઇવે રોડ મેશ્વો સરોવર પણ માનવ મહેરામણ ઉમટયો હતો શામળાજી પી એસ આઈ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો