અષાઢ સુદ પૂનમ નો અનેરો મહિમા જગતભર માં ઉજવાતો હોય છે, ત્યારે શ્રી સાબરકાંઠા રામદેવ પરિવાર સંચાલિત પંચદેવ મંદિર બાયલ, મોડાસા મા પરંપરાગત પ્રગટ સદગુરુ સ્વરૂપ મહંત શ્રી.ચંદ્રવદન વ્યાસ સાહેબ ના સાનિધ્ય માં પણ વર્ષો થી ગુરુપૂર્ણિમા ની ઉજવણી થતી હોય છે, જેમાં આ વર્ષે પણ ભક્તો ની આસ્થા ને સ્થાન આપી ગુરુપૂર્ણિમા મહોત્સવ સફળ બન્યો હતો.
ગુરૂ પૂર્ણિમાના કાર્યક્રમ રુચિ મુજબ શુભ દિવસ ની શરૂઆત સવારે પૂ.બાપજીનું પ્રવચન તથા સંતો ની વધામણી સવારે કરવામાં આવી હત ત્યાર બાદ શ્રી રામદેવજી મહારાજ જ્યોત પાઠ પ્રકાશ અને જગતગુરુ બ્રહ્મલીન આચાર્યશ્રી,ચરણતીર્થ મહારાજ ગુરુગાદી પૂજન કરવામાં આવ્યું હતું, આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તોએ મહાપ્રસાદનો લ્હાવો લીધો હતો. ગુરૂ પૂર્ણિમાના અવસરે મોડાસા તાલુકા પંચાયતના પ્રમુખ બીપિન પટેલ પણ ગુરૂના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા.