સુપ્રસિદ્ધ શામળાજી યાત્રાધામમાં રાજસ્થાનના 5 યાત્રાળુઓ દર્શન કરી પરત ઘરે ફરતા બ્રિજ નજીક રોડ ક્રોસ કરવા જતા કારે મહિલાને ટક્કર મારતા મહિલાનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું અકસ્માત સર્જી કાર ચાલક કાર ઘટનાસ્થળે મૂકી ફરાર થઇ ગયો હતો અકસ્માતની ઘટનાના પગલે શામળાજી પોલીસ તાબડતોડ પહોંચી મૃતક મહિલાની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી પતિની આંખો સામે મહિલાનું મોત નિપજતા હૈયાફાટ રૂદન કરી મુકતા વાતાવરણમાં ગમગીની છવાઈ હતી
રાજસ્થાન બાંસવાડાના ઘડી તાલુકાના ચંદનપુર ગામના શાંતિબેન તેમના પતિ અને અન્ય લોકો સાથે શામળાજી મંદિરમાં શામળિયાના દર્શનાર્થે આવ્યા હતા દર્શન કરી મંદિરથી ઘરે જવા રોડ પર પહોંચી બ્રિજ નજીક રોડ ક્રોસ કરવા જતા પુરપાટ ઝડપે આવતી કારના ચાલકે શાંતિબેન ને ધડાકાભેર ટક્કર મારતા મહિલા રોડ પર પટકાતા શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું અકસ્માતના પગલે લોકોના ટોળેટોળા ઉમટતા ટ્રાફિકજામ સર્જાયો હતો
અકસ્માતની ઘટનાના પગલે શામળાજી પોલીસ સ્થળે પહોંચી ટ્રાફિક પૂર્વરત કરાવી મૃતક મહિલાના મૃતદેહને પીએમ માટે ખસેડી કાર ચાલક સામે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા