પવિત્ર શ્રવણ મહિનામાં ઘણા તહેવાર આવતા હોય છે ત્યારે પવિત્ર શ્રવણ માસમાં ભક્તોનો અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે ભક્તો દર્શન કરવા મંદિરે જતા હોય છે ત્યારે મોડાસાના મીની ઊંઝા તરીકે ઓળખાતા ઉમિયા મંદિર ભક્તો પહોંચતા હોય છે ત્યારે દર વર્ષ જેમ આવર્ષ 200 થી વધારે પદયાત્રીઓનો સંઘ મોડાસાના ઉમિયા મંદિરે રવાના થયો હતો.
કચ્છ કડવા પાટીદાર સમાજની કુળદેવી એટલે ઉમિયા માતાજી આ ઉમિયા માતાજી પર ભક્તોની અતૂટ શ્રદ્ધા હોય ત્યારે મોડાસાના ઉમિયા મંદિરે પરંપરાગત રીતે માલપુર ના સજ્જનપુરાકંપા થી પાટીદાર સમાજની કુળદેવી માં ઉમિયાના મઁદિરે સૌવ ભક્તો પગે ચાલીને પોતાના સંકલ્પ પૂર્ણ કરવા પ્રસ્થાન કર્યું. સજ્જનપુરાકંપા થી નીકળેલા સંઘ માં આસપાસ ના કંપા ના પદયાત્રી જોડાયા
મહિલાઓ માથે ગરબો મૂકી,સૌકોઈ પદયાત્રી ના હાથમાં ધજા અને બોલ મારી ઉમિયા જય જય ઉમિયા ના નાદ સાથે બાળકો, મહિલાઓ, અને વૃદ્ધો જોડાયા