અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે રાજ્ય કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી થવાની છે ત્યારે ગુજરાત પોલિસ બેંડનું રીહર્સલ કરવામાં આવ્યું હતું. યાત્રાધામ શામળાજી ખાતે ભગવાન શામળિયાના દ્વારા આ રીહર્સલ કરવામાં આવ્યું હતું, જેને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા.
મોડાસાના પીએમ ગ્રાઉન્ડ ખાતે રાજ્ય કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી થવાની છે જેને લઇને પોલિસ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે ત્યારે ગુજરાત પોલિસનું બેંડ પણ અરવલ્લી જિલ્લામાં આવી ગયું છે, જેમની ટીમ પણ ખૂબ જ જહેમત ઉઠાવી રહી છે, આ ટીમ દ્વારા શામળાજી મંદિર ખાતે રીહર્સલ યોજ્યું હતું, જેને જોવા માટે મોટી સંખ્યમાં લોકો ઉમટ્યા હતા. આ સાથે જ જિલ્લા પોલિસ વડા સંજય ખરાતે આ રીહર્સલનું નિરીક્ષણ પણ કર્યું હતું…
જુઓ ગુજરાત પોલિસ બેંડનું રીહર્સલ