31 C
Ahmedabad
Wednesday, May 8, 2024

અરવલ્લી : મોડાસા સહીત તાલુકા મથકે ત્રિરંગા યાત્રા યોજાઈ , જીલ્લાના પ્રજાજનો દેશભક્તિના રંગે રંગાયા, વિજયનગરમાં ત્રિરંગા યાત્રા


આપણો દેશ આઝાદી ના 75 વર્ષની ઉજવણી કરી રહ્યો છે,આઝાદીના અમૃત મહોત્સવને લઈ વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા સહિત તમામ તાલુકાઓમાં ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લાના મુખ્ય મથક મોડાસાના ઉમિયા મંદિરે થી ત્રિરંગા યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું,આ ત્રિરંગા યાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી,,દેશવાસીઓમાં દેશ ભાવના અને રાષ્ટ્રપ્રેમ વધે તે માટે આ ત્રિરંગા યાત્રા કાઢવામાં આવી હતી,,આ ત્રિરંગા યાત્રામાં લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા ભિલોડા,બાયડ,માલપુર,મેઘરજ, ધનસુરામાં ત્રિરંગા યાત્રા યોજાઈ હતી.

Advertisement

Advertisement

અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકા મથક ખાતે આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે ભિલોડા નગરમાં ભવ્યાતિભવ્ય તિરંગા યાત્રા નિકળી હતી.ભારતીય જનતા પાર્ટીના સંગઠન આગેવાનો તાલુકા પંચાયતના સદસ્યો,જીલ્લા પંચાયતના સદસ્યો, તાલુકામાંથી સરપંચો મહિલા મોરચાના કાર્યકરો અને દેશ પ્રેમી જનતા ખૂબ જ મોટી સંખ્યામાં હાજરી આપી ભારત માતાના જય જયકારાના ગગનભેદી નારાઓ પોકારી તિરંગા યાત્રાને સફળ બનાવી હતી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!