સદભાવના મિશન ક્લાસ બહારપૂરા ગોધરામા ગરીબ અને મધ્યમ વર્ગના હિન્દુ છાત્રોને મફત શિક્ષણ આપતાં મુસ્લિમ સમાજનાં શિક્ષકે અનોખી રીતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરી
પંચમહાલ જિલ્લાના પાટનગર ગોધરા શહેરમાં કેટલાય વર્ષોથી બહારપૂરા સ્લમ વિસ્તારના ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને મફત શિક્ષણ કોચિંગ ક્લાસ અભ્યાસ છેલ્લાં 14 વર્ષ થી બાળકોને શિક્ષણ ડૉ. સુજાત વાલી સાહેબના નેતૃત્વમાં ગોધરા શહેરનો મસહુર શિક્ષક ઈમરાન સાહેબ બાબા રામદેવ પીર મંદિર ખાતે બાળકોની લગાતાર આપી રહ્યા છે
ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોનું ભવિષ્યનું સિંચન કરતાં એક મુસ્લિમ સમાજનો યુવા શિક્ષક ઈમરાનએ હિન્દુ રીતરિવાજ પ્રમાણે ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો અને તેમના સ્વજનો ગુમાવ્યા હોય તેવા સંજોગોમાં આવા સમયે એકતા અને અખંડિતતા ભાઈચારાનો સંદેશ ફેલાવતા રક્ષાબંધન પર્વની આનોખી રીતે શિક્ષક ઈમરાન સાહેબ અને તમામ બાળકોએ ભગવાનની પ્રતિમા સમક્ષ રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી
સદભાવના મિશન ક્લાસ બહારપૂરા ગોધરા મા મફત શિક્ષણ કોચિંગ ક્લાસ અભ્યાસ કરતાં વિદ્યાર્થીની દ્વારા વિધાર્થીઓ વચ્ચે ભાઈ અને બહેનનો પર્વ રક્ષાબંધનની ઉજવણી કરતાં ભારત દેશની રક્ષા કરીશું આ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન દરેક બાળકો, મહિલાઓ, યુવાનો, દરેક સમાજનાં માટે આવાં પવિત્ર અને પાવન પર્વ નિમિત્તે ઈશ્ર્વરથી પ્રાર્થના કરીશું તેવી ભાવના રક્ષાબંધન પર્વ નિમિત્તે રહેશે
આવા પવિત્ર અને પાવન પર્વ નિમિત્તે ડૉ. સુજાત વાલી સાહેબ શિક્ષક ઈમરાન સાહેબ અને તમામ વાલીઓએ સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે ઈમરાન મુસ્લિમ સમાજનો હોવા છતાં પણ આવા સામાજિક, અને ધાર્મિક લાગણી સાથે આપ હર હંમેશા આવાં ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને તેનો લ્હાવો મળ્યો છે તે દરેક સમાજમાં એક મિશાલ સાબિત જીવતો જાગતો જોવા મળે છે એકતા અને અખંડિતતા ભાઈચારાનો સંદેશ ફેલાવી તેની સુવાસ ગોધરા શહેરમાં ફેલાવી દીધી હતી ઈમરાન સાહેબને તમામ સમાજના લોકોએ સન્માનિત કર્યા છે ઈમરાન સાહેબે સૌના દિલમાં સ્થાન મળ્યું છે લોકો તેને માન સન્માનથી આવકારે છે આવા ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને શિક્ષણ પીરસી લોકોમાં જનજાગૃતિ ફેલાવી દીધી છે