જમીનમાં દાટી દેવાને કારણે શરીર ના અંદર ઇન્ફેક્શન થયું હતું શરીરમાં ઇન્ફેક્શન વધવાને કારણે બાળકીનું થયુ મોત
Advertisement
હિંમતનગર તાલુકાના ગાંભોઈ મા તારીખ 4 ઓગસ્ટના રોજ નવજાત શિશુને તેના માતા પિતા દ્વારા જીવીત દાટી દેવામાં આવ્યું હતું ત્યારે તે બાળકીને સદનસીબે બહાર કાઢી હિંમતનગર સિવિલમાં સારવાર હેઠળ રખાયું હતું.
જમીનમાં દાટી દેવાને કારણે બાળકીના શરીરના અંદર ઇન્ફેક્શન લાગ્યું હતું અને આ બાળકીને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સિવિલ સ્ટાફ દ્વારા યોગ્ય અને સારી ટ્રીટમેન્ટ હેઠળ રખાઈ હતી અને તેની નજર હાલત ગંભીર થતાં પાટણ થી નિષ્ણાતો બોલાવીને NICU ડિપાર્ટમેન્ટમાં ટ્રીટમેન્ટ અપાઈ રહી હતી.
ત્યારે આજરોજ વહેલી સવારે નવજાતશિશુંના શરીરમાં ઇન્ફેક્શન વધી જતા તેની હાલત વધુ ગંભીર બની હતી અને આજે તેનું મૃત્યુ થયું હતું જેની જાણ હિંમતનગર સિવિલે ગાંભોઈ પોલીસને કરી હતી.