હાલ સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે જેને કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને પગલે માછીમારોનેે દરિયો ન ખેડવા સૂચનાઓ આપવામાં આવી હતી, જોકે કેટલાક માછીમારો મધદરિયે ફસાતા ઈન્ડિયન કોસ્ટ ગાર્ડની ટીમ દ્વારા દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
માછામીરો બોટ લઇને ફિશિંગ માટે નવસારીથી મુંબઈ જઈ રહ્યા હતા, તે સમય દરમિયાન માછીમારોની બોટ મધદરિયે ડૂબી ગઈ હતી, જેમાં 14 જેટલા માછીમારો સવાર હતા. માછીમારો મુશ્કેલીમાં હોવાની જાણ દમણ કોસ્ટ ગાર્ડને થતાં તાત્કાલિક હેલિકોપ્ટરની મદદથી દરિયાની સપાટીથી 14 કિ.મી. દૂર પહોંચીને તમામ માછીમારોને બચાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.