મૃતદેહ તણાઈ આવ્યો કે પછી હત્યા કરીને ફેંકી દેવાયો તે સહિતની સ્થાનિક લોકો મા ચર્ચા.
વિજયનગર તાલુકાના ટોલડુંગરી ગામની પાટ નદીમાંથી વહેલી સવારે ગામના નાના બાળકો નદી કિનારે પાણી આવ્યું હોવાને કારણે નદી જોવા ગયા હતા ત્યારે બાળકોની નજર નદીના કિનારે તણાઈ આવેલ એક મૃતદેહ પર પડતા બાળકોએ ગામના લોકોને જાણ કરી હતી. નદીમા લાશ તણાઈ આવી હોવાની જાણ થતાં નદી પટ પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ વિજયનગર પોલીસને કરાતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી હતી. પોલીસે આ બનાવ અંગે પુરુષના મૃતદેહની ઓળખ મેળવવા ચક્રો ગતિમાન કર્યો છે. આ મૃતદેહ નદીના પ્રવાહમાં તણાઈ આવ્યો કે કોઈએ મારીને પુરુષની લાશને અહીં ફેંકી દીધી હશે તેવા અનેક સવાલો ની ચર્ચા સ્થાનિક લોકોમા થઈ રહી છે.