42 C
Ahmedabad
Tuesday, May 28, 2024

સાબરકાંઠા : વિજયનગરના ટોલડુંગળી ગામની પાટ નદીમાંથી અજાણ્યાં ઈસમનો મૃતદેહ મળ્યો


 

Advertisement

મૃતદેહ તણાઈ આવ્યો કે પછી હત્યા કરીને ફેંકી દેવાયો તે સહિતની સ્થાનિક લોકો મા ચર્ચા.

Advertisement

વિજયનગર તાલુકાના ટોલડુંગરી ગામની પાટ નદીમાંથી વહેલી સવારે ગામના નાના બાળકો નદી કિનારે પાણી આવ્યું હોવાને કારણે નદી જોવા ગયા હતા ત્યારે બાળકોની નજર નદીના કિનારે તણાઈ આવેલ એક મૃતદેહ પર પડતા બાળકોએ ગામના લોકોને જાણ કરી હતી. નદીમા લાશ તણાઈ આવી હોવાની જાણ થતાં નદી પટ પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ વિજયનગર પોલીસને કરાતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી હતી. પોલીસે આ બનાવ અંગે પુરુષના મૃતદેહની ઓળખ મેળવવા ચક્રો ગતિમાન કર્યો છે. આ મૃતદેહ નદીના પ્રવાહમાં તણાઈ આવ્યો કે કોઈએ મારીને પુરુષની લાશને અહીં ફેંકી દીધી હશે તેવા અનેક સવાલો ની ચર્ચા સ્થાનિક લોકોમા થઈ રહી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!