જન્માષ્ટમીના સમગ્ર રાજ્યમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી ત્યારે નોમના દિવસે કાન્હાને પારણે ઝૂલાવવાના પણ અનેક કાર્યક્રમો યોજાયા હતા, ત્યારે અમરેલી જિલ્લામાં પણ જન્માષ્ટમીના બીજા દિવસે અલગ અલગ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ સુરેશ પાનસુરીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નો ના પવિત્ર દિવસે લીલીયા તાલુકામાં શ્રી રામ સેવા સમિતિ દ્વારા જન્માષ્ટમી મહાપર્વની ભવ્ય શોભાયાત્રા માં જિલ્લા ભાજપ પ્રમુખ ઉપસ્થિત રહી ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરી દહીં હાંડી કાર્યક્રમમાં ગોવિંદાઓ સાથે ઉત્સવ મનાવ્યો હતો.
આ તકે લીલીયા તાલુકા ભાજપ પ્રમુખ ભનુભાઈ ડાભી, જીલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન વિપુલભાઈ દુધાત, જીલ્લા પંચાયત સદસ્ય ભિખાભાઈ ધોરાજીયા, પૂર્વ મહામંત્રી હસમુખભાઈ હપાણી, લીલીયા તાલુકા ભાજપ કિસાન મોરચાના મહામંત્રી ભરતભાઈ શેલડીયા સહિતના પદાધિકારીઓ તથા લીલીયા ગોપાલ યુવા ગ્રુપ ગૌશાળા ના સભ્યો સહિતના ભાવિક ભક્તો અને લીલીયા તાલુકાના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.