ગુજરાતમાં વર્ષ 2002માં પંચમહાલ જિલ્લામાં બિલ્કીશબાનુ પર થયેલા સામુહિક બળાત્કારની ઘટનાને પગલે આરોપીઓને સજામુક્ત કરવાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, અરવલ્લી જિલ્લાના મોડાસા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી છે કે, આવા જઘન્ય અપરાધમાં ગુન્હેગાર જાહેર થયેલ ગુન્હેગારોને 15 ઓગસ્ટના રોજ ગુન્હામાંથી મુક્ત કરવામાં આવ્યા છે.
Advertisement
અરવલ્લી જિલ્લાના મોડાસા કોંગ્રેસ સમિતિ દ્વારા માંગ કરવામાં આવી છે કે, આવા આરોપીઓને માફી નહીં પરંતુ ફાંસીની સજા આપવામાં આવે, જેથી પીડિત પરિવારને ન્યાય મળે.
Advertisement
Advertisement